Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 : ગુજરાત સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે આમૂલ ફેરફારો કરીને, પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સાથે સ્કોલરશીપ મળે તેવી ઘણી યોજનાઓ અમલમાં છે. સરકાર દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલો પણ શરૂ કરવામાં આવી છે. જેમાં વિનામુલ્યે શિક્ષણ તથા Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 યોજના હેઠળ આર્થિક સહાય પણ કરવામાં આવે છે. જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ-30,000 જેટલા વિદ્યાર્થીને પસંદ કરીને ધોરણ-6 થી ધોરણ-12 માટે દર વર્ષે ₹ 25,000/- સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં આ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તથા યોજનાના ધારા-ધોરણો વિશે વિગતે મહિતી મેળવીશું. તો આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.
યોજનાનું નામ | મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2025 |
યોજના હેઠળ મળતા લાભ | ધોરણ-6 થી 12 વિદ્યાર્થીઓને વાર્ષિક ₹ 25,000/- સુધીની સ્કોલરશીપ |
કોણ અરજી કરી શકશે | ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
અરજી ક્યાં કરવી? | www.sebexam.org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા શાળામાંથી ઓનલાઈન અરજી કરી શકાશે. |
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો | તા.07/02/2025 થી 19/02/2025 |
પરીક્ષા તારીખ | તા.22/03/2025 |
પરીક્ષા ફી | નિ:શુલ્ક. |
Help Line Number | (079) 23973615 |
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો.
- રાજ્યની સરકારી કે અનુદાનીત કે સ્વ નિર્ભર શાળાઓમાં ધોરણ-1 થી 5 સુધી અભ્યાસ કરી, હાલ ધોરણ-5 નો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આગળ ધોરણ-6 થી 12 સુધીના અભ્યાસ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે.
- જેમાં વિદ્યાર્થી ધોરણ-6 થી ધોરણ-12 સુધીનું શિક્ષણ મેળવી શકે તે માટે સરકારી કે સ્વ નિર્ભર શાળામાં પ્રવેશ માટે પણ નિયમોનુસાર છુટછાટ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો હેતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકવમાં આવેલ Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 યોજનાના હેતું નીચે મુજબ છે.
- 50% કન્યા વિદ્યાર્થીનીઓની પસંદગી કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું.
- આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં આર્થિક રીતે મદદરૂપ થવું.
- ધોરણ-5 બાદ દર વર્ષે કુલ- 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે આ યોજના હેઠળ લાભ આપવો.
જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ કોને મળશે? | Mukhyamantri Gyansetu Merit Scholarship 2025
જે વિદ્યાર્થીઓ સરકારી,અનુદાનિત તથા સ્વનિર્ભર શાળામાં ધોરણ-5 સુધી અભ્યાસ કરીને, ધોરણ-6 થી 12 સુધી સરકારી શાળાઓ કે સ્વ નિર્ભર શાળાઓ અભ્યાસ કરી શકે તે માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકાયેલ છે. જે માટે વિદ્યાર્થીની પાત્રતા નિચે મુજબની છે.
- વિદ્યાર્થી સરકારી કે અનુદાનીત કે સ્વ નિર્ભર શાળામાં ધોરણ-1 થી 5 સુધી અભ્યાસ કરેલ હોવો જોઈએ.
- ધોરણ-5 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ આગળના ધોરણ માટે લાભ મેળવી શકશે.
- CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કર્યા બાદ જરૂરી ખરાઈ કરીને વિદ્યાર્થીના વાલી કે વિદ્યાર્થીના ખાતામાં સ્કોલરશીપ જમા કરવામાં આવશે.
- વિદ્યાર્થીઓની પસંદગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે, જેમાં દર વર્ષે કુલ 30000 વિદ્યાર્થીઓની પસંદગી થશે.
- સહાય માટે લાયક ઠરેલ વિદ્યાર્થીની દરેક સત્રમાં 80% હાજરી ફરજીયાત હોવી જોઈએ.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ મળતી સહાય.
જે વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ 6 થી ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે.
ક્રમ | અભ્યાસનું ધોરણ | મળવાપત્ર વાર્ષિક સ્કોલરશીપ. |
1 | ધોરણ-6 | ₹ 20,000/- |
2 | ધોરણ-7 | ₹ 20,000/- |
3 | ધોરણ-8 | ₹ 20,000/- |
4 | ધોરણ-9 | ₹ 22,000/- |
5 | ધોરણ-10 | ₹ 22,000/- |
6 | ધોરણ-11 | ₹ 25,000/- |
7 | ધોરણ-12 | ₹ 25,000/- |
વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા.
- હાલ ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ લેવા માટે CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષા પાસ કરવાની રહેશે.
- આ ટેસ્ટમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલોમાં ધોરણ-6 માં પ્રવેશ મેળવી શકશે.
- પરીક્ષા પાસ કર્યા બાદ જરૂરી ખરાઈ કરીને કુલ-30,000/- જેટલા વિદ્યાર્થીઓને ધોરણ-6થી ધોરણ-12 સુધી Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 લાભ આપવામાં આવશે.
- આખરી યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના નિયમોમુજબ અનુસૂચિત જનજાતિ તથા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.
- દરેક કેટેગરીમાં 50% વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવશે.
વધુ જાણો:-
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2025
યુવા સ્વાવલંબન યોજના 2024-25 માટે ટ્યુશન ફી, પુસ્તકો અને હોસ્ટેલમાં રહેવા સહાય
CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025 કસોટીનું મળખું.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CAT) બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based) રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું પ્રશ્નપત્ર 120 માર્કસનું તથા સમય 150 મિનિટનો રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ-5 ના અભ્યાસક્રમ પર રહેશે.
- જેમાં, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CAT) માં નીચે મુજબના વિષય પ્રમાણે માર્કસ રહેશે.
ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણ |
1 | ગણિત સજ્જતા | 30 | 30 |
2 | તાર્કિક ક્ષમતા કસોટી | 30 | 30 |
3 | ગુજરાતી | 20 | 20 |
4 | અંગ્રેજી-હિન્દી | 20 | 20 |
5 | પર્યાવરણ | 20 | 20 |
કુલ | 120 | 120 |
Mukhyamantri Gyansetu Merit Scholarship Yojana 2025 Online Apply | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે અરજી
Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 માટે વિદ્યાર્થીએ ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની હોય છે. અહીં દર્શાવેલ માહિતીથી જાતે જ ઓનલાઈન અરજી કરી શકાશે.વધુમાં વિદ્યાર્થીએ શાળામાંથી પણ ચેટ બોટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાશે.
સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે
- સૌ પ્રથમ ગુગલ પર sebexam.org ટાઈપ કરીને ઓફિસીયલ વેબસાઈટ પર જવું.
- ત્યાર બાદ “Apply Online” બટન પર ક્લિક કરવું.
- હવે Apply Now પર Click કરવાનું રહેશે. જેથી ઓનલાઈન અરજી ફોર્મેટમાં પ્રથમ Aadhaar UID (C.T.S. Child I.D.) નાખ્યા બાદ Submit આપવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ચકાસીને ભરવાની રહેશે.
- આગળના સ્ટેપમાં વિગતો ચકાસી નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ Application Save કરી એપ્લીકેશની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
નોંધ- સરકારી તથા અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ માટે શાળામાંથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા કરવાની રહેશે.
જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજનાના નિયમો અને શરતો.
- આ યોજનાના લાભ માટે ફક્ત પ્રવેશ પરીક્ષા માટે તા.07/02/2025 થી તા.19/02/2022 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઇન અરજી જ માન્ય રહેશે.
- અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online માધ્યમથી ભરવાનું રહેશે. નામ, અટક, જાતિ (કેટેગરી ) જન્મ તારીખ, કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી શકાશે નહી.
- વિદ્યાર્થીને બસ પાસની સુવિધા આપવામાં આવશે.
- ટેસ્ટના મેરીટ મુજબ જ બાળકોને શાળામાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે.
- ધોરણ-6 થી 12 ના અભ્યાસ દરમ્યાન કોઈ ધોરણમાં નાપાસ થાય કે શાળા છોડી દે છે તો વિદ્યાર્થીને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.
- ઓનલાઈન ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 માટે સત્રમાં 80% હાજરી ફરજિયાત રહેશે.
Important Links of Mukhyamantri Gyansetu Merit Scholarship 2025
ઓફિસિયલ વેબસાઈટ | |
ઓનલાઈન અરજી કરવા | |
Home Page |
Conclusion
ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારોના વિદ્યાર્થીઓ જે પોતાનો આગળ અભ્યાસ કરી શકે તે માટે Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 યોજના વર્ષ 2023 અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીને ધોરણ-6 થી 12 ના અભ્યાસ દરમ્યાન કુલ ₹ 1,50,000/-જેટલી સહાય કરવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા.07/02/2025 થી શરૂ થયેલ છે.મિત્રો, આજના લેખમાં જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી? તેની વિગતે મહિતી આપવામાં આવી છે. ઓનલાઈન અરજી વખતે કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 માટે ઓનલાઈન અરજી કોણ કરી શકશે?
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના માટે હાલ ધોરણ-5 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ઓનલાઈન અરજી કરી શકશે.
(2) જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના 2025 માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ક્યો છે?
Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.07/02/2025 થી 19/02/2025 છે.
Mukhyamantri Gyansetu Merit Scholarship 2025 યોજના હેઠળ વિદ્યાર્થીને ધોરણ-6 થી 12 ના અભ્યાસ દરમ્યાન કુલ ₹ 1,50,000/-જેટલી સ્કોલરશીપ કરવામાં આવે છે તથા જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલોમાં ધોરણ-6 થી 12 સુધી અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકે છે.
(4) મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ 2025 માટેની પરીક્ષા તારીખ કઈ છે?
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે તા. 22/03/2025 ના રોજ પરીક્ષા યોજાશે.