Pashu Khandan Sahay Yojana | મફત પશુ ખાણદાણ સહાય યોજના Ikhedut Portal

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pashu Khandan Sahay Yojana : મિત્રો, પશુઓને પૈષ્ટિક અહાર મળી રહે તે માટે સરકાર દ્વારા પશુઓ માટે Ikhedut Portal મફત પશુ ખાણદાણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ખેતી સાથે ખેડૂતને પશુપાલનના વ્યાવસાયમાંથી પણ આવક મળી રહે તે માટે તથા પશુઓને પોષકતત્વોસભર આહાર મળે તે માટે 150 કિલો પશુ ખાણદાન મફત આપવામાં આવે છે. Pashu Khandan Sahay Yojana હેઠળ મફત પશુ દાણ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેની વિગતે માહિતી અહિં આપવામાં આવી છે.

Pashu Khandan Sahay Yojana

Bullet Point of Pashu Khandan Sahay Yojana

યોજનાનું નામ મફત પશુ ખાણદાણ સહાય યોજના
લાભ કોને મળશે ગુજરાતના તમામ ખેડૂતને આવક મર્યાદા વિના
યોજના હેઠળ મળનાર લાભ 150 કિલો મફત પશુખાણ દાન
અરજી ક્યાં કરવી Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે
અરજી કરવાનો સમયગાળો તા.15/06/2024 થી તા.15/07/2024
ઓફિસિલય વેબસાઈટ Ikhedut.gujarat.gov.in

મફત પશુ ખાણદાણ સહાય યોજના Ikhedut Portal

ખેડૂતને પ્રતિ પશુ દીઠ અને કુટુંબ દીઠ વર્ષમાં એકવાર સરકાર દ્વારા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા 150 કિલો મફત પશુખાણ દાન આપવામાં આવશે. જેનાથી ખેડૂત પશુને પૌષ્ટિક આહાર મળશે અને દૂધ ઉત્પાદનમાં વધારો થશે. સાથે સાથે દરેક જાતિના પશુપાલકોના ગાભણ ગાય કે ભેંસ જેવા પશુઓને પણ આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થાય છે.

Pasu Khandan Sahay Yojana 2024 માટે લાભાર્થીની પાત્રતા.

  • અરજદારને ગુજરાતમાં પોતાની જમીન હોવી જોઈએ.
  • પશુપાલનનો વ્યયવસાય કરતા હોવા જોઈએ.
  • ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.

મફત પશુ ખાણદાણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ.

મફત પશુ ખાણદાણ સહાય માટે ખેડૂતને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેની માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહે છે.

  • આધારકાર્ડની નકલ
  • 7/12 ઉતારા કે 8-અ ની નકલ
  • અરજદાર દિવ્યાંત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • રેશનકાર્ડની નકલ
  • કુદરતી સંવર્ધન રીતે કે બીજદાનથી પશુ ફેળવ્યાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • પશુઓમાં ગર્ભ પરીક્ષણનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • જો આપ સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.

વધુ જાણો:-

ટપક સિંચાઈ યોજના માટે મળશે 50% સબસિડી

ટેકાના ભાવ યોજના 2024 માટે પાકોનું લીસ્ટ જાણો ટેકાના ભાવ.

પશુ ખાણદાણ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Pashu Khandan Sahay Yojana હેઠળ ખેડૂતને પશુદીઠ 150 કી.લો મફત પશુદાણ આપવામાં આવે છે. તે માટે અરજદારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનો રહેશે. અરજી કરવાનો સમયગાળો તા.15/06/2024 થી તા.15/07/2024 સુધીનો છે. અરજદારે નીચે જણાવેલ પ્રોસેસથી અરજી કરવાની રહેશે.

  • અરજદારે સૌ પ્રથમ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • જેમાં ડેસબોર્ડ પર ‘‘યોજનાઓ’’ લખેલ મેનું પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી યોજનાઓના લીસ્ટમાંથી ‘‘પશુપાલનની યોજનાઓ’’ પસંદ કરવાની રહેશે.
  • ત્યાર બાદ નવા ખુલેલા લીસ્ટમાંથી સામાન્ય જાણી કે અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ માટે ખાણદાણની યોજના પર ટીક કરવાનું રહેશે.
Pashu Khandan Sahay Yojana 2024
Image credit government official website (https://ikhedut.gujarat.gov.in/)
  • આગળના પેજમાંથી ‘‘નવી અરજી કરો’’ પર ક્લિક કરીને, ઓનલાઈન ખુલેલા ફોર્મમાં બધી વિગતો ભરીને અરજી સેવ કરવાની રહેશે.
  • પછીના સ્ટેપમાં અરજી કન્ફર્મ કરીને અરજી પ્રોસેસ પુર્ણ કરવાની રહેશે. જેથી આપને અરજી નંબર આપવામાં આવશે. અહિથી ઓનલાઈન અરજીની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

ઓનલાઈન અરજી કર્યા બાદ આપને અરજીને અધારે અરજીની ચકાસણી કરીને નિયમોનુસાર અરજી મંજૂર કરવામાં આવશે. અને આપને મોબાઈલ દ્વારા SMS જાણ પણ કરવામાં આવશે. ત્યાર બાદ પશુદાણ મળી શકશે.

જાણવા જેેેેેેવું:-

ખેડૂતને મોબાઈલ ખરીદવા મળશે 6000 ની સહાય. 

આઈ ખડૂૂત પર પરની ખેડૂતલક્ષી યોજનાઓનું લીસ્ટ.   

Important Links of Pashu Khandan Sahay Yojana

આઈ ખેડૂતની ઓફિસિલય વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, તા. 15/06/2024 થી એક મહિના માટે મફત પશુ દાણદાણ માટેની યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે.જેમાં પશુદીઠ 150 કીલોગ્રામ પશુદાણ જિલ્લા દૂધ ઉપાદક સંઘ દ્વારા મફત આપવામાં આવશે. આ આર્ટિકલમાં Pashu Khandan Sahay Yojana માટે ઓનલાઈન અરજીની પ્રોસેસ માટ વિગતે માહિતી આપેલ છે. આપને અરજી મંજૂરી બાબતે કોઈ પ્રશ્ન હોય તો ગ્રામ સેવક કે જિલ્લા પશુપાલન અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરી શકો છો.

FAQ વાંરવાર પુછાતા પ્રશ્નો.

(1) મફત પશુ ખાણદાણ સહાય યોજના Ikhedut Portal પર ઓનલાઈન અરજી કયાં સુધી કરી શકાશે?

પશુ ખાણદાણ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર તા.15/06/2024 થી તા.15/07/2024 થી ઓનલાઈન અરજી કરી શકાશે.

(2)Pashu Khandan Sahay Yojana માં પશુ દીઠ કેટલા કીલો ખાણદાણ મળશે?

ખેડૂતને અરજી મંજૂર થયા બાદ પશુદીઠ 150 મફત ખાણદાણ મળશે.

(3) ખાણદાણની વહેંચણી કોના દ્વારા કરવામાં આવશે.

જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા ખાણદાણની વહેંચણી કરવામાં આવશે.

Leave a comment