શ્રમયોગીને મળશે ₹3000/- નું પેન્શન | PM Shram Yogi Mandhan Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pradhan Mantri  Shram Yogi Mandhan Yojana | Pm Shram Yogi Mandhan Yojana | Shram Yogi Mandhan | Shram Yogi Mandhan Yojana Online Registration | Shram Yogi Mandhan Yojana Chart | Shram Yogi Mandhan Yojana Status | Pm Shram Yogi Mandhan Yojana Eligibility | Pm Shram Yogi Mandhan Yojana Benefits | Shram Yogi Pension | પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના | PM SYMY

PM Shram Yogi Mandhan Yojana 2024: મિત્રો, અસંગઠિત ક્ષેત્રે સાથે સંકળાયેલ કામદારોને આર્થિક નાણાકીય તંગીને કારણે જીવનમાં ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી સરકાર દ્વારા કામદારોને આર્થિક સહાય આપીને સ્વનિર્ભર કરવા તથા સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા જુદી જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં  ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા PM Shram Yogi Mandhan Yojana  નો આરંભ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો  લાભ અસંગઠિત ક્ષેત્રના શ્રમિક જેવા કે રિક્ષા ડ્રાઇવર, મોચી, દરજી, સુથારી કામ, તથા છુટક મજુર અને માટીકામ સાથે સંકળાયેલા લોકોને આ યોજનાનો લાભ મળશે. Pradhan Mantri  Shram Yogi Mandhan Yojana  યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી ક્યાં કરવી? લાભાર્થીનો ફાળો તથા કેન્દ્ર સરકારના ફાળા વિશે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

PM Shram Yogi Mandhan Yojana

Contents hide

Bullet Point of PM Shram Yogi Mandhan Yojana 2024

યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના
યોજનાનો હેતું તમામ કામદારોને પેન્શન આપવુ.
પેન્શનની રકમ ₹ 3000/- દર મહિને પેન્શન.
અરજી કરવા માટે અરજદારની ઉંમર 18 થી 40 વર્ષ સુધી.
લાભાર્થીનો ફાળો ₹ 55 થી ₹200 દર મહિને
પેન્શન મળવાની ઉંમર 60 વર્ષ પછી.
અરજી કરવાની પ્રકિયા ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ દ્વારા

ઓફલાઈન નજીકના CSC સેન્ટર ખાતેથી

ઓફિસિયલ વેબસાઈટ https://maandhan.in/
હેલ્પલાઈન નંબર 18002676888

14434

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો હેતું.

રાજ્યમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકને 60 વર્ષની ઉંમર પછી નાણકીય સુરક્ષા તથા વૃદ્ધાવસ્થા  દરમ્યાન આર્થિક સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા આપવી તથા જીવન સાથે સંકળાયેલા બીજા  જોખમો સામે રક્ષણ આપવાનો  Pradhan Mantri  Shram Yogi Mandhan Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય છે. શ્રમયોગી માનધન યોજના દ્વારા  અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો જેઓની મહિનાની આવક 15000 કે તેથી ઓછી હોય તેઓને 60 વર્ષની ઉંમરપછી ₹ 3000/- દર મહિને પેન્શન આપવામાં આવે છે.

શ્રમયોગી માનધન યોજના હેઠળ મળતા લાભો..

  • આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષ પછી દર મહિને ₹ 3,000/- પેન્શન આપવામાં આવશે
  • આ યોજના હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો જેમકે ડ્રાઇવર, રીક્ષા ચાલક, મોચી, દરજી, કામદારો, ઇટ ભઠ્ઠામાં કામ કરનાર કર્મચારીને લાભ આપવામાં આવશે.
  • લાભાર્થીના અવસાનના કિસ્સામાં તેની પત્નીને આજીવન અડધુ પેન્શન એટલે કે ₹1500 પેન્શન દર મહિને આપવામાં આવશે.
  • શ્રમયોગી આ યોજના જેટલો ફાળો આપશે કેટલો ફાળો સરકાર દ્વારા જમા કરવામાં આવશે.

PM SYMY યોજનામાં અરજી કરવા માટે જરૂરી  ડોક્યુમેન્ટ.

  • શ્રમયોગી નોંધણી ઓળખ કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • આધાર કાર્ડ
  • સરનામાના પુરાવા તરીકે રેશનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો.

શ્રમયોગી માનધન હેઠળ લાભાર્થીની પાત્રતા | Pm Shram Yogi Mandhan Yojana Eligibility

  • લાભાર્થીની ઉમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી થયેલ હોવી જોઈએ.
  • દર મહિને ₹ 15,000/- કે તેથી ઓછી માસિક આવક ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં 05 વર્ષથી નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓને આ યોજના હેઠળ પેન્શન મળવાપાત્ર થશે.
  • શ્રમ અને રોજગાર બોર્ડ દ્વારા અપાયેલ સ્માર્ટકાર્ડ/ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ કોને લાભ મળશે.

  • નાના તથા સીમાન ખેડૂતો.
  • બાંધકામ સાથે સંકળાયેલ કામદારો, ઘરકામ કરનાર લોકો.
  • શાકભાજી અને ફળોની લારીવાળા ફેરિયાઓ
  • જમીન વગરના ખેત મજૂરો.
  • માછીમારો પશુપાલકો ઈંટવાડામાં કામ કરતા તથા પથ્થરની ખાણમાં કામ કરતા કામદારો.
  • તમામ કામદારો જેઓની શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી થયેલ છે તેવા તમામ શ્રમયોગીઓને PM Shram Yogi Mandhan Yojana નો લાભ મળશે મળશે

PM Shram Yogi Mandhan Yojana details

PM ShramYogi Mandhan Yojana લાભ  કોને નહીં મળે.

  • સંગઠિત ક્ષેત્રના કામ કરનાર વ્યક્તિને.
  • રાષ્ટ્રીય પેન્શન યોજના સભ્યને.
  • કર્મચારી ભવિષ્યનીતિના સભ્યને.
  • જે કર્મચારી નિગમના સભ્યોને.
  • જે લોકો ઇન્કમટેક્સની ચૂકવણી કરે છે તે લોકોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.

શ્રમયોગની માનધન યોજના ચાર્ટ | Shram Yogi Mandhan Yojana Chart

આ યોજના હેઠળ લાભાર્થીની ઉંમર 18 થી 40  વર્ષની હોય ત્યારે નિયમો મુજબ અરજી કરી શકે છે. લાભાર્થી જેટલો ફાળો જમા કરાવે તેની  સામે કેન્દ્ર સરકાર તેટલો બીજો ફાળો જમા કરાવે છે. જેની વિગતો નીચેના ચાર્ટમાં આપવામાં આવી છે.

અરજદારની પ્રવેશ ઉંમર

અરજદારની નિવૃતિ વય સભ્યનો  માસિક ફાળો (₹) કેન્દ્ર સરકારનો માસિક ફાળો (₹)

કુલ જમા ફાળો (₹)

(1)

(2) (3) (4) (5)=(3)+(4)

18

60 55 55 110
19 60 58 58

116

20 60 61 61

122

21

60 64 64 128

22

60 68 68 136
23 60 72 72

144

24 60 76 76

152

25

60 80 80 160

26

60 85 85 170
27 60 90 90

180

28 60 95 95

190

29

60 100 100 200

30

60 105 105 210
31 60 110 110

220

32 60 120 120

240

33

60 130 130 260

34

60 140 140 280
35 60 150 150

300

36 60 160 160

320

37

60 170 170 340

38

60 180 180 360
39 60 190 190

380

40 60 200 200

400

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે કેટલીક મહત્વની જાણકારી.

  • PM Shram Yogi Mandhan Yojana હેઠળ 18 થી 40 વર્ષના અસંગઠિત ક્ષેત્રના કામદારો અરજી કરી શકશે.
  • લાભાર્થીને આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 નો પેન્શન આપવામાં આવશે.
  • શ્રમયોગી માન ધન યોજના હેઠળ અરજી કરવા માટે અરજદારનો ઓછામાં ઓછું વેતન 15000 રૂપિયા થી ઓછું હોવું જોઈએ.
  • લાભાર્થી પેન્શનરના મૃત્યુ પછી લાભાર્થીના પરિવારને 50% પેન્શનની રકમ આપવામાં આવશે. આ રકમ લાભાર્થીના વારસદારને આપવામાં આવશે
  • બાંધકામ શ્રમિકોએ માસિક, ત્રિમાસિક કે વાર્ષિક પ્રીમીયમની રકમ જાતે ભરીને નિયત નમુનામાં ઓફલાઈન કે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • જે નાગરિક ટેક્સની ચુકવણી કરે છે તેઓને આ યોજના હેઠળ લાભ મળશે નહીં
  • આ યોજનાનો લાભ લેવા માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવેલ નથી.
  • અરજદાર બીજી અન્ય કોઈ પેન્શન સ્કીમ યોજનાનો લાભ લેતો ના આવવો જોઈએ.

શ્રમયોગી માન ધન યોજના હેઠળ વચ્ચેથી છોડી જવા માટે આપવા માટે રકમ.

  • જો લાભાર્થી આ યોજનામાં જોડાયા તારીખથી ઓછામાં ઓછા 10 વર્ષના સમયગાળા અંદર યોજનામાંથી બહાર નીકળી જાય છે, તો તેમાં લાભાર્થીની જમા  રકમ તથા  બેંક વ્યાજ પરત  આપવામાં આવશે.
  • લાભાથી જો નિયમિત રીતે ફંડ જમા કરાવતા હોય અને કોઈ કારણસર તેનું અવસાન થાય તો આ સ્થિતિમાં તેની પત્ની કે પતિ નિયમિત ચુકવણી કરીને આ યોજના ચાલુ રાખી શકે છે.

વધુ જાણોઃ-

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 [₹1,00,000/-ની લોન]

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દર મહિને ₹ 1250/- પેન્શન.

પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજનાના કેટલાક તથ્યો.

  • આ યોજનાનો માટે સુચારું અમલીકરણ માટે ટે ભારતીય જીવનમાં નિગમ (LIC) ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરેલ છે. જેથી 60 વર્ષ બાદ (LIC)  દ્વારા મારફતે પેન્શન આપવામાં આવશે.
  • લાભાર્થીઓને પેન્શન DBT દ્વારા  એટલે કે સીધા તેના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.
  • છેલ્લા આંકડા મુજબ અત્યાર સુધી લગભગ 65 લાખ કે તેથી વધુ લાભાર્થીઓ PM Shram Yogi Mandhan Yojana હેઠળ નોંધણી કરી ચૂક્યા છે.

શ્રમયોગી માનધન પેન્શન યોજના હેઠળ અરજી કરવાની પ્રકિયા.

PM Shram Yogi Mandhan Yojana 2024 હેઠળ સહાય મેળવવા માટે શ્રમયોગીને ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને રીતે અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. મિત્રો, આપણે અહીં અરજી કરવાની બંને રીત જાણીશું.

જણવા જેવુંઃ-

રોજગાર માટે મળશે ₹ 10.00 લાખની લોન

શ્રમયોગી હોમ લોન સબસિડી 2024 બેંક લોન પર મળશે 3% સબસિડી સહાય.

ઓફલાઈન અરજીની પ્રક્રિયા | PM Shram Yogi Mandhan Yojana CSC

મિત્રો, નીચે જણાવેલ પ્રોસેસ દ્વારા આપ આ યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરી શકો છો.

  • આ યોજના લાભાર્થીને શ્રમયોગી માન ધન યોજના હેઠળ અરજી કરવા માટે તેમના અગત્યના દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, બેંક પાસબુક, અને મોબાઈલ નંબર સાથે નજીકના જનસેવા કેન્દ્ર એટલે કે કોમન સર્વિસ સેન્ટર(C.S.C) ખાતે જવાનું થશે.
  • અરજદારે અરજીફોર્મ સાથે તેના બધા ડોક્યુમેન્ટ કોમન સર્વિસ સેન્ટર(C.S.C) ખાતે જમા કરવાના રહેશે.
  • અરજી તથા ડોક્યુમેન્ટને આધારે આધારે કોમન સર્વિસ સેન્ટર(C.S.C) ના કર્મચારી આપને ઓનલાઇન ફોર્મ ભરી આપશે અને તેની ઓનલાઈન પ્રિન્ટ નીકળીને આપને આપશે.
  • અરજીફોર્મ ની પ્રિન્ટ આઉટ લઈ ભવિષ્ય માટે સુરક્ષિત મૂકી રાખવાની રહેશે

આમ તમે પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના હેઠળ અરજી કરી શકશો.

ઓન લાઈન અરજીની પ્રક્રિયા | Shram Yogi Mandhan Yojana Online Registration

પ્રધાનમંત્રી શ્રમયોગી યોજના હેઠળ નીચે આપેલા સ્ટેપને અનુસરીને આપ જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો.

  • સૌપ્રથમ અરજદાર દ્વારા https://maandhan.in/ શ્રમ યોગી માન ધન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર લોગીન કરવાનો રહેશે.
  • જેમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબ હોમ પેજ ઓપન થશે.
  • ઓપન થયેલા નવા પેજ પર Login બટન ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નવા ફુલ પેજમાં Self Enrolment નો ઓપ્શન દેખાશે જે આ ઓપ્શન પર આપે ટીક કરી તમારા મોબાઈલ નંબર લખવાનો રહેશે પછી પ્રોસેસના બટન પર ક્લિક કરવાનું રહેશે.
PM Shram Yogi Mandhan Yojana Login
Image Credit Government Official Website (https://maandhan.in/)
  • ત્યાર પછી ઓપન નવા પેજમાં આપનું નામ, ઇમેલ આઇડી અને Captcha Code નાખી ફરીથી Generat OTP પર ક્લિક કરવાનું રહેશે, ત્યાર બાદ મોબાઈલ પર આવેલ ઓટીપી નાંખીને ખરાઈ કરવાની રહેશે.
  • ત્યારબાદ નીચે દર્શાવ્યા મુજબના નવા ઓપન થયેલ નવા પેજમાં આપે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.વિગતો ચકાસીને સબમીટ પર ક્લિક કરવાનું રહેશે.
PM Shram Yogi Mandhan Yojana Online Apply
Image Credit Government Official Website (https://maandhan.in/)
  • પછીના પેજમાં લાભાર્થી અને વારસદાર સાથેની વિગતો સાથેનું ઓનલાઈન અરજીપત્રક જનરેટ થશે. જેની પ્રિન્ટ કાઢીને તેમાં વિગતો ભરી અને અરજદારની સહી કરીને અપલોડ કરવાનું રહેશે.
  • પછીના સ્ટેપમાં આવશ્યક દસ્તાવેજો અપલોડ કરીને અરજીપત્રક સબમીટ કરાવવાનું રહેશે.
  • ત્યારબાદની પેમેન્ટની પ્રોસેસ પુરી કરવાની રહેશે.
  • નિયત પેનેન્ટ કર્યા બાદ આપનું ઓનલાઈન માનધન પેન્શન કાર્ડ જનરેટ થશે. જેની પ્રિન્ટ કાઢી રાખવાની રહેશે.
PM Shram Yogi Mandhan Yojana card
Image Credit Government Official Website (https://maandhan.in/)

PM Shram Yogi Mandhan Yojana Status

મિત્રો, આ યોજના હેઠળ ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કર્યા બાદ લાભાર્થીનું સ્ટેટ્સ જાણવા માટે આપ હેલ્પલાઈન નંબર (1) 18002676888  અને (2) 14434 સંપર્ક કરવાથી સ્ટેટ્સની જાણકારી મળી શકશે.

Important Links of PM Shram Yogi Mandhan Yojana

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન  અરજી કરવા માટે.

Click Here

ઓફલાઈન અરજી માટે CSC સેન્ટરોનું લીસ્ટ

Click Here

હેલ્પલાઈન નંબર

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ કામદારો, શ્રમયોગીઓને વૃદ્ધા અવસ્થામાં આર્થિક સહારો મળી રહે તથા પોતે સ્વનિર્ભર બની રહે તે માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના આશીર્વાદ સમાન છે. જેમાં લાભાર્થીને 60 વર્ષ પછી આજીવન ₹ 3000/- દર મહિને પેન્શન આપવામાં આવે છે. મિત્રો, PM Shram Yogi Mandhan Yojana આર્ટિકલ દ્વારા આપને  ઓનલાઈન/ઓફલાઈન અરજી કરવા તથા યોજનાની સંપુર્ણ માહિતિ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજના અંગે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો આપને ઉપર દર્શાવેલ હેલ્પલાઈન નંબર 14434 પર અથવા જિલ્લાની શ્રમ યોગી કલ્યાણ બોર્ડની ઓફીસ ખાતે  સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

 (1) PM Shram Yogi Mandhan Yojana હેઠળ પેન્શન ક્યારે મળશે?

જવાબ- શ્રમ યોગી માનધન યોજના હેઠળ લાભાર્થીની ઉંમર 60 વર્ષ પછી દર મહિને ₹ 3,000/- પેન્શન આપવામાં આવશે.

(2) શ્રમયોગી માનધન યોજના હેઠળ કેટલું પેન્શન મળે છે?

જવાબ- આ યોજના હેઠળ દર મહિને ₹ 3,000/- નું પેન્શન મળે છે

(3) શું શ્રમયોગી માન ધન યોજનમાં 40 વર્ષ પછી અરજી કરી શકાશે?

જવાબ- ના, આ યોજનામાં અરજી કરવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે.

4) આ યોજના હેઠળ ઓફલાઈલ અરજી ક્યાં કરી શકાશે?

જવાબ- આ યોજના હેઠળ આપના વિસ્તારના નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) ખાતેથી અરજી કરી શકાશે.

(5) લાભાર્થીને પેન્શન કેવી રીતે જમા થશે?

જવાબ- લાભાર્થીને તેના બેંક ખાતામાં સીધું પેન્શન જમા થશે.

Leave a comment