માછલી પાલનથી થશે લાખોની કમાણી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના | PMMSY Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat : આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે.દેશના મોટા ભાગના નાગરીકો ખેતી અને પશુપાલન જેવા વ્યાસાયમાં રોકાયેલા છે. લાખોની કામાણી કરી આપે તેવો એક વ્યવસાય માછલી ઉછેરનો છે. આ વ્યવસાયમાં રોકાયેલા લોકોને ગુજરાતમાં 1600 કિ.મી દરિયા કિનારો લાભ મળે છે. સાથે-સાથે Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat યોજના હેઠળ મત્સ્ય પાલન પાલન માટે સરકાર આધુનિક બોટ, જાળ, કોલ્ડ સ્ટોરેજ બોક્સ ખરીદવા સબસિડી તથા તાલીમ આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રોજગારી સાથે શું લાભ મળશે? તેની વિગતે માહિતી મેળવીશું.

Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat

Bullet Point of Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat 

યોજનાનું નામ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના
યોજના હેઠળ કોને લાભ મળશે મત્સ્ય ઉત્પાદન કરનાર તમામ નાગરીકોને
મળવાપાત્ર લાભ માછલી ઉછેર માટે સરકાર તરફથી જરૂરી તમામ મદદ. અને સાધનો ખરીદવા માટે 50%  સુધીની સબસિડી.
અરજી ક્યાં કરવાની ગુજરાત સરકારના  Ikhedut Portal તથા https://pmmsy.dof.gov.in/  વેબસાઈટ પરથી
ભારત સરકારનો હેલ્પલાઈન નંબર 1800-425-1660

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના PMMSY વિશે જાણો.

મત્સ્યોદ્યોગ વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અમલમાં મુકવામાં આવી છે. ભારતમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના ટકાઉ અને જવાબદાર વિકાસ દ્વારા બ્લુ રિવોલ્યુશન લાવવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat  યોજના મત્સ્ય ઉત્પાદન કરતા નાગરીકોની આવક વધારવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાણાકીય વર્ષ 2020-21 થી નાણાકીય વર્ષ 2024-25 સુધીના 5 વર્ષના સમયગાળા માટે લાગુ આવી છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના  મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઈને ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગમાં ફિશરીઝ વેલ્યુ વ્યવસ્થામાં આવતી દરેક સમસ્યાઓ દૂર કરવા આ યોજના અમલમાં મુકાયેલ છે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદન શૃંખલાને આધુનિક અને મજબૂત કરવાનો છે, શોધક્ષમતા વધારવા અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે સાથે માછીમારો અને માછલીનું ઉત્પાદન કરતા ખેડૂતોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવાનો છે.

PMMSY યોજનાનો હેતું.

Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat   ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિકાસ મંત્રાલય દ્વારા અમલીકૃત છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો મુખ્ય હેતું નીચે મુજબ છે.

  • 2024-25 સુધીમાં માછલીનું ઉત્પાદન વધારીને 22 મિલિયન મેટ્રિક ટન કરવું.
  • માછીમારો અને માછીમારોની આવક બમણી થાય છે અને અર્થપૂર્ણ રોજગારી ઉત્પન્ન થાય છે
  • મૂલ્ય શૃંખલા સાથે 55 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવી.
  • માછીમારો અને માછીમારોની આવક બમણી કરવી
  • માછીમારો અને માછીમારો માટે સામાજિક, ભૌતિક અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરો
  • એક મજબૂત મત્સ્યોદ્યોગ વ્યવસ્થાપન અને નિયમનકારી માળખું બનાવો
  • મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસની સુવિધા
  • નિકાસમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રનું યોગદાન વધારવું
  • શોધ ક્ષમતા વધારવા અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે સાથે માછીમારો અને માછલી ખેડૂતોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવાનો છે.

Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat  યોજનાનો લાભ કોને મળશે.

ભારત તથા ગુજરાતમાં વસતા તમામ નાગરિકોને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. જેમાં દરેક લાભાર્થીને માછલી પાલન માટે દરેક રીતે સહાય કરવા માટે સરકાર કટીબદ્ધ છે.

PMMSY હેઠળ મળનાર લાભો.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ નાગરીકોને નીચે મુજબના લાભો મળવાપાત્ર છે.

  • માછીમારોના પરિવારોને માછીમારીમાંથી રોજગાર તથા વ્યવસાય વિસ્તાર માટે સહાય મળે છે.
  • સીવીડની ખેતી માટે રાફ્ટ્સ અને મોનોલિન કે ટ્યુબેનેટ્સ માટે સહાય.
  • જળાશયો અને અન્ય જળાશયોમાં પાંજરા અને 543.7 હેક્ટર પેનની સંખ્યા માટે સહાય.
  • માછલી પરિવહન સુવિધાઓ માટે એર કંડીશનર વાહન સહાય.
  • માછલી જળચર ઉછેર હેઠળ તળાવ વિસ્તાર બનાવવા માટે સહાય.
  • રી-સર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ્સ (RAS) માટે સહાય.
  • માછલીના છૂટક બજારો, માછલીના કિઓસ્ક (સુશોભિત કિઓસ્ક સહિત) , મછલી ઘર બનવાવા માટે સહાય.
  • રિપ્લેસમેન્ટ બોટ માટે નાણાકીય મદદ.
  • બાયોફ્લોક એકમો સ્થાપવા માટે સહાય.
  • સુશોભન માછલી ઉછેર એકમો અને સંકલિત સુશોભન માછલી એકમો માટે સબસિડી.
  • યાંત્રિક માછીમારીના જહાજોમાં બાયો-ટોઇલેટ ખરીદવા માટે સહાય.
  • હાલના માછીમારી જહાજોનું અપગ્રેડેશન માટે નાણાકીય મદદ.
  • ફિશ ફીડ મિલ/છોડ માટે મદદ.
  • માછલી/પ્રોન હેચરી માટે સહાય.
  • આઇસ પ્લાન્ટ/કોલ્ડ સ્ટોરેજ માટે સબસિડી.
  • ઊંડા સમુદ્રમાં માછીમારીના જહાજો ખરીદવા તથા રિપેરકામ માટે નાણાકીય મદદ.
  • નાગરીકોને તાલીમ માટે વિસ્તરણ અને સહાયક સેવાઓ (મત્સ્ય સેવા કેન્દ્રો)

Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat  હેઠળ લાભ માટે જરૂરી ડોક્યુમેન્ટ.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવા માટે ગુજરાતમાં ikhedut Portal પરથી પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. જે માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • દિવ્યાંગ અરજદારના કિસ્સામાં સમક્ષ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
  • લાભાર્થીને જમીન હોવાનો પુરાવો તરીકે 7/12 ની નકલ
  • અરજદાર દ્વારા જે યોજનામાં સહાય મેળવવાની છે તેનો વિગતવાર પ્લાન પ્રોજેક્ટ.
  • જો કોઈ ખરીદી કરવાની થતી હોય તો પાકુ GST વાળું બીલ.
  • ખરીદવામાં આવેલ સામગ્રીનો Go Tagging સાથેનો ફોટો.
  • જુદી-જુદી યોજના મુજબ લાગુ પડતું હોય તેવું જિલ્લા અધિકારીશ્રીનું પ્રમાણપત્ર.
  • અરજદારનો ફોટોગ્રાફ
  • મોબાઈલ નંબર
  • જે યોજનાનો લાભ લેવાનો છે તે યોજના સંબંધિત માંગે તેવા ડોક્યુમેન્ટ.

વધુ જાણો:- 

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મળશે ₹50,000/- સુધીની લોન

પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024

Pradhan Mantri Matsya Sampada Yojana Online Apply | PMMSY

ગુજરાતમાં વસતા નાગરિકો માટે સરકાર દ્વારા Ikhedut Portal પર જ કેન્દ્ર સરકારની pmmsy scheme માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. જ્યાં અરજદાર ગુજરાતી ભાષામાં જ અરજી કરી શકે છે.

તે માટે તમારે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે.

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ પર gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ખુલશે.
  • તેમાં વેબસાઈટના હોમપેજ પરના ‘‘યોજનાઓ’’ મેનું પર ક્લિક કરવાનું રહેશે. જેથી નીચે ઈમેજમાં દર્શાવેલ યોજનાઓનું લીસ્ટ ખુલશે.
pmmsy scheme Gujarat list
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • જેમાંથી ‘‘મત્સ્ય પાલનની યોજનાઓ’’ પસંદ કરવાનું રહેશે.
  • જેથી આગળન નવા ખુલેલા પેજમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું મત્સ્ય પાલનની યોજનાઓનું લીસ્ટ ખુલશે.
Pradhan Mantri Matsya Sampada Yojana In Gujarati
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • આ લીસ્ટમાં અરજદારને જે યોજનાનો લાભ લેવાનો હોય તે યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આગળ યોજનાની વિગતો જોઈ શકાશે. જેમાંથી આ યોજના સંબંધિત ક્યા ડોક્યુમેન્ટની જરૂરી પડશે? તેની વિગત ‘‘ડોક્યુમેન્ટસ’’ પર ક્લિક કરીને જાણી શકાશે.
  • ત્યાર બાદ ‘‘અરજી કરો’’ પર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મમાં નામ, સરનામું, બેંક વિગત , પ્રોજેકટ વિગતો, તથા માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat ની અરજી પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે.
  • અરજી કર્યા બાદ અરજી સંદર્ભ જરુરી ચકાસણી કરીને સહાય મંજૂર કરવામાં આવશે તો આપને જાણ કરવામાં આવશે.

જાણવા જેવું:- 

મધમાખી પાલન યોજના 2024 થી કરો આજીવન કમાણી

રોજગાર માટે મળશે ₹ 10.00 લાખની લોન

Important Links of Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat 

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મત્સ્ય પાલન ક્ષેત્રે વિપુલ રોજગારીની તકો હોવાથી ગુજરાતના યુવાનોને રોજગારી તથા પોતાની સ્વતંત્ર વ્યવસાય વિકાવી શકે છે. તે માટે દરિયાઈ ક્ષેત્રને લગતા માછલી પાલન માટે વિવિધ યોજનાઓના રૂપે આર્થિક સહાય આપવામાં આવે છે. Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat હેઠળ અરજદારને 50% જેટલી જુદી-જુદી યોજનાઓમાં સહાય મળે છે. રસ ધરાવતા અરજદારને આ યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

FAQ

(1) PMMSY Scheme માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની?

ગુજરાતના નાગરિકો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે.

(2) Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat યોજના હેઠળ કોને લાભ મળવાપાત્ર છે?

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલામાં મુકવામાં આવેલ છે. જે યુવાનો માછલી ઉત્પાદનમાં રસ ધરાવતા હોય તે તમામ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે.

(3) આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કઈ કચેરીનો સંપર્ક કરવો?

Pradhan Mantri Matsya Sampada Yojana Gujarat નો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી કે નાયબ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી શકાશે.

Leave a comment