Take Home Ration Yojana 2024 | ટેક હોમ રાશન 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Take Home Ration In Anganwadi | Take Home Ration Scheme | Take Home Ration Gujarat | Take Home Ration Items List | Take Home Ration Icds | THR

જાણવા જેવું, મિત્રો બાળકોમાં શારિરીક ,બૌદ્ધિક અને માનસિક વિકાસ થાય તે માટે પોષકતત્વો સભર આહાર મળે તે ખુબ જરૂરી છે.મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રીમાતાઓના સ્વાસ્થ્ય અને બૌદ્ધિક વિકાસ માટે પોષકતત્વો યુક્ત આહાર મળી રહે તે  માટે આંગણવાડી મારફતે અનેક યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં Take Home Ration Yojana દ્વારા 06 વર્ષથી ઓછી ઉંમરના સામાન્ય વજનવાળા તથા ઓછા વજનવાળા બાળકોને પોષણયુક્ત આહારના પેકેટ આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં ટેક હોમ રાશન યોજનાનો ઉદ્દેશ, લાભાર્થી જુથ અને  યોજના દ્વારા મળતા લાભ વિશે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Take Home Ration

Bullet Point of Take Home Ration Yojana 2024

યોજનાનું નામ Take Home Ration Yojana 2024
અમલીકરણકર્તા વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાનો હેતું પોષણયુક્ત આહારના પેકેટ પુરા પાડવા.
લાભાર્થી જુથ 03 વર્ષ સુધીના નાના બાળકો, સગર્ભા મહિલાઓ, અને કિશોરીઓ
સંપર્કની વિગત નજીકની આંગણવાડી ખાતે
ઓફિસિયલ વેબસાઈટ wcd.gujarat.gov.in

ટેક હોમ રાશન યોજના વિશે જાણો.

બાકળની  06 વર્ષ સુુુુુધીની ઉંમર તેના શારિરીક અને માનસિક વિકાસ માટે ધણો અગત્યનો ભાગ ભજવે છે. ટેક હોમ રાશન  યોજના મારફતે આંગણવાડી ખાતે આવતા 0૩ વર્ષના બાળકોને પોષકતત્વો યુક્ત આહાર મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આહારના પેકેટ આપવામાં આવે છે.   06 માસથી થી 03 વર્ષ સુધીના સમાન્ય વજનવાળા અને ઓછા વજનવાળા બાળકોને દર મહિને 500 ગ્રામ આહારના 7થી 10પેકેટ આપવામાં આવે છે. જેમાં પોષકતત્વો સભર પુુુુુર્ણા શક્તિ કિશોરીઓ માટે, બાળ શક્તિ નાના બાળકો માટે અને માતૃશક્તિ ધાત્રી માતાઓને આપવામાં આવે છે. જે પોષકતત્વો યુક્ત આહાર બાળકમાં શારિરીક અને બોદ્ધિક વિકાસમાં મદદરૂપ બને છે.

Take Home Ration Yojana યોજનાનો ઉદ્દેશ.

  • ટેક હોમ રાશન યોજના મહિલા અને બાળ વિકાસના આઈ.સી.ડી.એસ દ્વારા અમલમાં મુકવામાં આવી છે. 06 સુુુુુુધીનું  બાળક કુપોષણનો શિકાર ના બને તે આ યોજનાનો ઉદ્દેશ છે.
  • આંગણવાડી કેન્દ્ર ખાતે નોધાયેલ 06 વર્ષ સુધીના બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રીમાતાઓને પોષણયુક્ત આહાર પુરો પાડીને એનિમિયાથી બચાવવા  તથા કુપોષણ નાબૂદ કરવાનો મુખ્ય આશય છે.
  • આંગણવાડી ખાતે આવતા જે બાળકોનું વજન ઓછુ હોય તેવા 03 વર્ષ સુધીના બાળકોને વિશેષ ધ્યાન આપીને  પોષણયુક્ત ગરમ આહાર પુરો પાડવામાં આવે છે.

કોને લાભ મળશે?

Take Home Ration Scheme હેઠળ નીચે મુજબના લાભાર્થીઓને મફત ફુટ પેેેેકેટ આપવામાં આવશે.

  • આંગણવાડી કેન્દ્ર ખાતે નોધાયેલ 06 વર્ષ સુધીના બાળકો
  • 15 થી 18 વર્ષ વય સુધીની કિશોરીઓ
  • સગર્ભા મહિલાઓ અને ધાત્રીમાતાઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.

જાણવા જેવુંં:-

મુખ્યમંત્રી માતૃૃૃૃૃૃશક્તિ યોજના

સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના 2024

ટેક હોમ રાશન અંતર્ગત મળતા લાભ.

આ હેઠળ નીચે દર્શાવેલ કોષ્ટ મુજબ દર માસે  THR  (ટેક હોમ રાશન) ના આહાર પેકેટ આપવામાં આવે છે.

બાળકની ઉંમર

THR  (ટેક હોમ રાશન) ના આહાર પેકેટની સંખ્યા. Take Home Ration Items List
06 માસથી 03 વર્ષ સુધીના સામાન્ય વજનવાળા બાળકોને. બાલશક્તિના 500mg ના 7 પેકેટ
06 માસથી 03 વર્ષ સુધીના અતિ ઓછા વજનવાળા બાળકોને. બાલશક્તિના 500mg ના 10 પેકેટ
03 થી 06 વર્ષના તમામ બાળકોને અઠવાડીયામાં 6 દિવસ આંગણવાડી કેન્દ્ર ખાતે સવારે અને બપોરે ગરમ નાસ્તો.
03 થી 06 વર્ષના તમામ બાળકોને અઠવાડીયાના 2 દિવસ ફળ આપવામાં આવશે.
સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓને માતૃશક્તિના 1 Kg ના 4 પેકેટ આપવામાં આવશે.
કિશોરીઓને પુર્ણા યોજના હેઠળ પુર્ણાશક્તિ ના 4 પેકેટ આપવામાં આવે છે.

ટેક હોમ રાશન યોજનનો લાભ લેવા ક્યાં સંપર્ક કરવો.

આ યોજનાનો લાભ લેવા માટે આપની નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે નામની નોંધણી કરાવવી પડશે. નામની નોંધણી થયેથી બાળકો, કિશોરીઓ, અને સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહારના પેકેટ આપવમાં આવે છે.

Take Home Ration Image

Important Link of Take Home Ration Yojana

ઓફિસિયલ વેબસાઈટ

 અહીં ક્લિક કરો. 

સંપર્ક નંબરો

 અહીં ક્લિક કરો. 

પુર્ણા યોજનાની વિગત

 અહીં ક્લિક કરો. 

Home Page

 અહીં ક્લિક કરો. 

Conclusion

મહિલા અને બાળ વિકાસ વિભાગ વિવિધ યોજનાઓ મારફતે નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓના પાષણસ્તર સુધારવા અને અનિમિયા નાબૂદી માટે ઘણા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે.  હોમ ટેક રાશન યોજનમાં લભાર્થીના ઘર સુધી પોષણયુક્ત આહારના પેેેેકેટ આંગણવાડી દ્વારા પહોંચાડવામાં આવે છે. Take Home Ration Yojana વિશે આ આર્ટિકલમાં વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજના તથા માહિલા અને બાળકોલક્ષી વિવિધ યોજનાઓના લાભ માટે લાભાર્થીને નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે નામ નોંધવવા જણાવામાં આવે છે.

આ પણ જાણો:- 

₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના

નમો શ્રી યોજના હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000

FAQ

(1) Take Home Ration Yojana હેઠળ કોને લાભ મળશે?

ટેક હોમ રાશન યોજના હેઠળ 06 વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા કિશોરીઓ તથા સ્તનપાન કરાવતી માતાઓને લાભ મળશે.

(2) શું મહિલા કે કિશોરીનું રહેઠાણ બદલાય તો Take Home Ration Yojana નો લાભ મળી શકે?

હા, જો કોઈ મહિલા કે કિશોરીનું રહેઠાણ બદલાય છે તો પણ નજીકની આંગણવાડી ખાતે પોતાનું નામ નોંધાવી  આ નો લાભ મેળવી શકે છે.

(3) ટેક હોમ રાશન યોજના હેઠળ શું આપવમાં આવે છે?

Take Home Ration Scheme હેઠળ દર માસે  THR  (ટેક હોમ રાશન) ના આહાર પેકેટ આપવામાં આવે છે. જેમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશક્તિના પેકેટનો સમાવેશ થાય છે.

(4) Take Home Ration Yojana હેઠળ લાભ લેવા નામ ક્યાં નોંધાવું પડશે?

નજીની આંગણવાડી ખાતે ટેકહોમ રાશન યોજના હેઠળ નામની નોંધણી કરાવી શકાય છે.

Leave a comment